Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો 27 નવેમ્બર, 2020 થી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડુતો દાવો કરી રહ્યા છે કે નવા બીલો તેમને ન્યૂનતમ ટેકાના ભાવ પ્રાપ્ત કરવામાં વંચિત રાખશે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન 40થી વધુ ખેડૂતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં વધુ એક ખેડૂતનું મોત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફેસબુક અને ટ્વીટર પર હરીશ રાવત, સ્વરા ભાષ્કર તેમજ અન્ય યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર સાથે ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
અમે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરની તપાસ શરૂ કરી. અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી આ ઇમેજને શોધવાનો પ્રયાસ કર્યો. જે દરમિયાન, અમને જાણવા મળ્યું કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. ફેસબુક પર 2 સપ્ટેમ્બર, 2018 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ તસ્વીરના કેપ્શન મુજબ પંજાબના શ્રી તરણ સાહિબના બોહરી ચોકમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી.
આ ઉપરાંત અન્ય ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે, જેમાં આ વ્યક્તિની લાશ બોહરી ચોકમાં બિનવારસી હાલતમાં જોવા મળેલ હતી.
જોકે અમે અમારી શોધ દરમિયાન વાયરલ થયેલ તસવીર અને મૃત વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી, પરંતુ અમારી તપાસથી સ્પષ્ટ થયું છે કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. હાલ દિલ્હી સહિત અન્ય અનેક સરહદો પર ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતની સાથે આ તસ્વીર જોડી ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023