Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
કિસાન આંદોલન સાથે-સાથે અંબાણી અને અદાણી પર પણ અગાઉ સોશ્યલ મીડિયા પર વાયરલ દાવાઓ શેર થયેલ છે. હાલમાં Aam Aadmi Partyના એક ફેસબુક પેજ પરથી એક તસ્વીર શેર કરવામાં આવી છે, જેમાં પુણે જંકશનની પ્લેટફોર્મ ટિકિટ દેખાઈ રહી છે. આ ટિકિટ ઉપર ‘અદાણી રેલવે, રેલવે અમારી નિજી સંપત્તિ છે.‘ લખવામાં આવેલ છે. આ ઉપરાંત “રૂઝાન આવવાના ચાલુ થઈ ગયા છે ‘‘મે દેશ નહીં બિકને દૂંગા” અંતર્ગત યોજના હેઠળ પુણે જંકશન બેઠક પર અદાણી ની જીત થઈ છે” કેપશન સાથે આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ પણ જોવા મળે છે. જે પોસ્ટ “GOBAR BHAKTO Dekh lo” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
પુણે જંકશન અદાણીની નિજી સંપત્તિ હોવાના દાવા સાથે વાયરલ થયેલ પ્લેટફોર્મ ટિકિટ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા પુણે જંકશનની પ્લેટફોર્મ ટિકિટ જોવા મળે છે, જેમાં અદાણીનું નામ લખવામાં નથી આવેલું. ઉલ્લેખનીય છે કે જયારે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 50રૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ ટિકિટની તસ્વીર શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ હતી, અને યુઝર્સ દ્વારા ભાવ વધારા પર ટિપ્પણી કરવામાં આવી હતી.
જયારે આ ટિકિટના ભાવ વધારા સાથેની માહિતી પર વધુ તપાસ કરતા indianexpress દ્વારા ઓગષ્ટ 2020ના પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ તેમજ પત્રકાર પ્રશાંત કનૌજિયા દ્વારા ભાવ વધારા સાથે ટિકિટ શેર કરતા ટિપ્પણી કરી હતી.
આ મુદ્દે Spokesperson Railways ટ્વીટર એકાઉન્ટ પરથી સ્પષ્ટતા કરવામાં આવી હતી. જે મુજબ કોરોના વાયરસની સ્થિતિ ધ્યાને લેતા પ્લેટફોર્મ પર ભીડભાડ ઓછી કરવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય માટે ટિકિટના ભાવ વધારવામાં આવ્યા છે.
પુણે જંકશનની પ્લેટફોર્મ ટિકિટ પર લખવામાં આવેલ અદાણી રેલવે એક ભ્રામક તસ્વીર છે, વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરી તેમાં અદાણી રેલવે લખવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા રેલવે અદાણીની નિજી સંપત્તિ હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ પોસ્ટ ભ્રામક છે. દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલન બાદ ગૌતમ અદાણી પર આ મહિનામાં આ બીજો દાવો વાયરલ થયેલ છે. થોડા દિવસ અગાઉ રેલ એન્જીન પર અદાણીની જાહેરાત લગાવવામાં આવી હોવાના દાવા પર newschecker દ્વારા ફેકટચેક કરવામાં આવેલ છે.
Spokesperson Railways
indianexpress
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023