Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાતમાં સોમનાથ-વેરાવળ હાઇવે નજીક જ્યાં જિહાદી મુસ્લિમોએ પહેલા એક પથ્થર નાખ્યો અને ત્યારબાદ ધીરે-ધીરે દરગાહ બનાવવાનું શરૂ કર્યું, સ્થાનિક વહીવટી તંત્રે તેની આંખો બંધ કરી દીધી છે અને આ જગ્યા સોમનાથ મંદિરથી થોડે જ દૂર છે. સોશ્યલ મીડિયા પર દરગાહની બે તસ્વીર સાથે આ દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર સોમનાથ મંદિર નજીક આવેલ સોમનાથ ચોકડી પર આવેલ દરગાહની છે.
જ્યારે અમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીર સંબંધિત ગૂગલ સર્ચ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારબાદ આ તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા તેમાં ” ધ સ્ક્વેર” હોટલનું બોર્ડ જોવા મળે છે. ત્યારબાદ અમે ગૂગલ મેપ પર હોટેલની શોધ કરી, અને હોટેલ મેનેજર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે આ દરગાહ અહીંયા ઘણા વર્ષોથી આવેલ છે, તેમજ અહીં કોઈ નવું બાંધકામ કરવામાં આવ્યું નથી.
(હોટેલ સાથે થયેલ વાતચીતનું રેકોર્ડિંગ આપ નીચે સાંભળી શકો છો.)
ત્યારબાદ અમે દરગાહના માલિકનો ફોન નંબર મેળવી તેમની સાથે વાત કરતા સત્ય સ્પષ્ટ થાય છે. જેમાં આ દરગાહનું નામ “નિઝામુદ્દીન ઔલીયા“છે. અને તેમનો પરિવાર છેલ્લી ત્રણ-ચાર પેઢીઓથી આ દરગાહની સેવા કરી રહ્યો છે.
ઇસ્માઇલના જણાવ્યા અનુસાર સોમનાથ-વેરાવળ હાઇવેના નિર્માણ પછી દરગાહની દિવાલ બનાવવામાં આવી છે, અન્યથા, જ્યારે અહીં કોઈ રસ્તો ન હતો, ત્યારે ખુલ્લી જગ્યામાં એક ખુલ્લી દરગાહ હતી. નોંધનીય છે કે આ દરગાહ વકફ બોર્ડ હેઠળ આવતી નથી, જેથી જિલ્લા કલેકટરે દરગાહ હટાવવા આદેશ આપ્યા હતા. આ મુદ્દે કોર્ટમાં અરજી કરવામાં આવેલ છે, અને હાલ કોર્ટે આ જગ્યા દરગાહની હોવાની કબૂલાત કરેલ છે.
આ ઉપરાંત ઇસ્માઇલે સોમનાથ-વેરાવળ હાઇવે પર આવેલ દરગાહની અન્ય કેટલીક તસવીરો પણ શેર કરેલ છે. જે નીચે જોઈ શકાય છે.
સોશ્યલ મીડિયા પર દરગાહ થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દરગાહ આસપાસ આવેલ હોટેલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ દરગાહ ઘણા વર્ષોથી અહીંયા આવેલ છે. તેમજ આ દરગાહની દેખરેખ કરનાર ઇસ્માઇલ ભાઈ દ્વારા કરવામાં આવેલ કોર્ટની અરજી પરથી વાયરલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
Phone Call Verification
Court Order
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023