Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

HomeFact Checkનરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ વાયરલ

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી લોકોમાં અનેક પ્રકારે ગુસ્સો અને જુસ્સો જોવા મળી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, સોશ્યલ મીડિયા પર કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર થતા પથ્થર મારાના વિડિઓ શેર કરવામાં આવેલ છે, વિડીઓના બીજા ભાગમાં નરેન્દ્ર મોદી PM બન્યા પછી કાશ્મીરની હાલત બતાવવામાં આવી રહી છે.

કાશ્મીર

ફેસબુક પર “8 વરહ માં બસ આટલું બદલાયું ભારત..જય શ્રી રામ” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા કાશ્મીરમાં સુરક્ષાદળો પર પથ્થરમારો થતો હતો, પરંતુ છેલ્લા આઠ વર્ષમાં એટલે કે 2014માં મોદી પીએમ બન્યા બાદ બદલાવ આવ્યો અને હવે તે પથ્થરબાજો અથવા અરાજક તત્વો સામે સખત રીતે કાર્યવાહી કરવામાં આવે છે.’

આ પણ વાંચો :- કાશ્મીર ફાઈલ ફિલ્મ અને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ અન્ય ભ્રામક ખબરો જાણવા અહીંયા ક્લિક કરો

Fact Check / Verification

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે વાયરલ થયેલા વિડીઓમાં ત્રણ અલગ-અલગ સમય અને જગ્યાના વિડિઓને એક સાથે બતાવવામાં આવી રહ્યા છે. વીડિઓની શરૂઆતમાં કેટલાક પ્રદશનકારીઓ કાશ્મીરમાં ભારતીય સેનાની ગાડી પર પથ્થરમારો કરતા જોવા મળે છે. જયારે, વાયરલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ સર્ચ કરતા ન્યુઝ વેબસાઈટ AP પર સમાન જોવા મળે છે.

અહેવાલ અનુસાર, કાશ્મીરના શ્રીનગરમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન માસ્ક પહેરેલ એક કાશ્મીરી ભારતીય, પોલીસ વાહન પર કૂદકો મારીને તેના પર પથ્થરમારો કરે છે. નોંધનીય છે કે, આ તસ્વીર 31 મે, 2019 ના રોજ ન્યુઝ એજન્સી APના ફોટોગ્રાફર દાર યાસીન દ્વારા લેવામાં આવેલ છે.

યુટ્યુબ પર પણ Tameel Irshad Kashmir Age નામની ચેનલ દ્વારા મેં 2019ના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં પ્રદશનકારીઓ સેનાની ગાડી પર હુમલો કરી રહ્યા છે.

વાયરલ વિડીઓના બીજા ભાગમાં જ્યાં, વાહનના બોનેટ પર બાંધેલા આ વ્યક્તિએ 2017માં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ અંગે ઇન્ટરનેટ પર ઘણા મીડિયા રિપોર્ટ જોઈ શકાય છે. 9 એપ્રિલ 2017માં ભારતીય સેનાના એક અધિકારી મેજર લીતુલ ગોગોઈએ કાશ્મીરના બડગામમાં એક વ્યક્તિને જીપના બોનેટ સાથે બાંધીને પોતાનો બચાવ કરવા માનવ ઢાલ તરીકે આતંકીનો ઉપયોગ કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગોગોઈએ કહ્યું હતું કે તેણે પથ્થરબાજોથી બચવા માટે આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું .

વાયરલ વિડીઓના છેલ્લા ભાગમાં ભારતીય જવાનો દ્વારા કેટલાક લોકોને બંદી બનાવવામાં આવ્યા અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાના કિફ્રેમ્સ ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર એપ્રિલ 2017માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે મળતી માહિતી મુજબ, વીડિયોમાં એક યુવક જવાન સાથે બોલી રહ્યો છે કે તે પિમાસ પખારપોરાનો રહેવાસી છે. નોંધપાત્ર છે કે, પખારપોરા એ કાશ્મીરના બડગામમાં આવેલ એક વિસ્તારનું નામ છે.

indianexpressના એક અહેવાલ મુજબ, વર્ષ 2017માં કાશ્મીરમાં સેનાની કાર્યવાહીના ઘણા વધુ વીડિઓ સામે આવ્યા હતા. જેના કારણે ખુબ જ હંગામો થયો હતો.

ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 2021માં જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીના મામલામાં 88%નો ઘટાડો થયો છે. આ અંગે ઓગષ્ટ 2021માં ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચારમાં ગૃહ મંત્રાલયના ડેટાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 2019માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે પથ્થરબાજીના 618 કેસ નોંધાયા હતા. 2020માં, આ કેસ ઘટીને 222 થઈ ગયા. 2021માં ફરી મોટો ઘટાડો થયો અને આ આંકડો ઘટીને 76 થયો. આ દરમિયાન સુરક્ષા દળોને ઈજા થવાના મામલામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ અંગે જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીએ કહ્યું કે મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી, કોરોના પ્રતિબંધો અને આતંકવાદી સંગઠનો અને તેમના ગ્રાઉન્ડ વર્કર્સ પર કાર્યવાહીને કારણે આ સફળતા મળી છે.

Conclusion

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે વાયરલ થયેલા વિડીઓ સાથે ભ્રામક દાવો ફેલાવવામાં આવી રહ્યો છે. વાયરલ વિડીઓમાં ત્રણ અલગ-અલગ સમય અને જગ્યાના વિડિઓને એક સાથે ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, આ તમામ વાયરલ વિડિઓ 2014 પછી બનેલ ઘટના સમયે લેવામાં આવેલ છે.

Result :- Misleading / Partly False


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી લોકોમાં અનેક પ્રકારે ગુસ્સો અને જુસ્સો જોવા મળી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, સોશ્યલ મીડિયા પર કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર થતા પથ્થર મારાના વિડિઓ શેર કરવામાં આવેલ છે, વિડીઓના બીજા ભાગમાં નરેન્દ્ર મોદી PM બન્યા પછી કાશ્મીરની હાલત બતાવવામાં આવી રહી છે.

કાશ્મીર

ફેસબુક પર “8 વરહ માં બસ આટલું બદલાયું ભારત..જય શ્રી રામ” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા કાશ્મીરમાં સુરક્ષાદળો પર પથ્થરમારો થતો હતો, પરંતુ છેલ્લા આઠ વર્ષમાં એટલે કે 2014માં મોદી પીએમ બન્યા બાદ બદલાવ આવ્યો અને હવે તે પથ્થરબાજો અથવા અરાજક તત્વો સામે સખત રીતે કાર્યવાહી કરવામાં આવે છે.’

આ પણ વાંચો :- કાશ્મીર ફાઈલ ફિલ્મ અને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ અન્ય ભ્રામક ખબરો જાણવા અહીંયા ક્લિક કરો

Fact Check / Verification

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે વાયરલ થયેલા વિડીઓમાં ત્રણ અલગ-અલગ સમય અને જગ્યાના વિડિઓને એક સાથે બતાવવામાં આવી રહ્યા છે. વીડિઓની શરૂઆતમાં કેટલાક પ્રદશનકારીઓ કાશ્મીરમાં ભારતીય સેનાની ગાડી પર પથ્થરમારો કરતા જોવા મળે છે. જયારે, વાયરલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ સર્ચ કરતા ન્યુઝ વેબસાઈટ AP પર સમાન જોવા મળે છે.

અહેવાલ અનુસાર, કાશ્મીરના શ્રીનગરમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન માસ્ક પહેરેલ એક કાશ્મીરી ભારતીય, પોલીસ વાહન પર કૂદકો મારીને તેના પર પથ્થરમારો કરે છે. નોંધનીય છે કે, આ તસ્વીર 31 મે, 2019 ના રોજ ન્યુઝ એજન્સી APના ફોટોગ્રાફર દાર યાસીન દ્વારા લેવામાં આવેલ છે.

યુટ્યુબ પર પણ Tameel Irshad Kashmir Age નામની ચેનલ દ્વારા મેં 2019ના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં પ્રદશનકારીઓ સેનાની ગાડી પર હુમલો કરી રહ્યા છે.

વાયરલ વિડીઓના બીજા ભાગમાં જ્યાં, વાહનના બોનેટ પર બાંધેલા આ વ્યક્તિએ 2017માં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ અંગે ઇન્ટરનેટ પર ઘણા મીડિયા રિપોર્ટ જોઈ શકાય છે. 9 એપ્રિલ 2017માં ભારતીય સેનાના એક અધિકારી મેજર લીતુલ ગોગોઈએ કાશ્મીરના બડગામમાં એક વ્યક્તિને જીપના બોનેટ સાથે બાંધીને પોતાનો બચાવ કરવા માનવ ઢાલ તરીકે આતંકીનો ઉપયોગ કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગોગોઈએ કહ્યું હતું કે તેણે પથ્થરબાજોથી બચવા માટે આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું .

વાયરલ વિડીઓના છેલ્લા ભાગમાં ભારતીય જવાનો દ્વારા કેટલાક લોકોને બંદી બનાવવામાં આવ્યા અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાના કિફ્રેમ્સ ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર એપ્રિલ 2017માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે મળતી માહિતી મુજબ, વીડિયોમાં એક યુવક જવાન સાથે બોલી રહ્યો છે કે તે પિમાસ પખારપોરાનો રહેવાસી છે. નોંધપાત્ર છે કે, પખારપોરા એ કાશ્મીરના બડગામમાં આવેલ એક વિસ્તારનું નામ છે.

indianexpressના એક અહેવાલ મુજબ, વર્ષ 2017માં કાશ્મીરમાં સેનાની કાર્યવાહીના ઘણા વધુ વીડિઓ સામે આવ્યા હતા. જેના કારણે ખુબ જ હંગામો થયો હતો.

ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 2021માં જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીના મામલામાં 88%નો ઘટાડો થયો છે. આ અંગે ઓગષ્ટ 2021માં ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચારમાં ગૃહ મંત્રાલયના ડેટાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 2019માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે પથ્થરબાજીના 618 કેસ નોંધાયા હતા. 2020માં, આ કેસ ઘટીને 222 થઈ ગયા. 2021માં ફરી મોટો ઘટાડો થયો અને આ આંકડો ઘટીને 76 થયો. આ દરમિયાન સુરક્ષા દળોને ઈજા થવાના મામલામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ અંગે જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીએ કહ્યું કે મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી, કોરોના પ્રતિબંધો અને આતંકવાદી સંગઠનો અને તેમના ગ્રાઉન્ડ વર્કર્સ પર કાર્યવાહીને કારણે આ સફળતા મળી છે.

Conclusion

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે વાયરલ થયેલા વિડીઓ સાથે ભ્રામક દાવો ફેલાવવામાં આવી રહ્યો છે. વાયરલ વિડીઓમાં ત્રણ અલગ-અલગ સમય અને જગ્યાના વિડિઓને એક સાથે ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, આ તમામ વાયરલ વિડિઓ 2014 પછી બનેલ ઘટના સમયે લેવામાં આવેલ છે.

Result :- Misleading / Partly False


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મ જોયા પછી લોકોમાં અનેક પ્રકારે ગુસ્સો અને જુસ્સો જોવા મળી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, સોશ્યલ મીડિયા પર કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર થતા પથ્થર મારાના વિડિઓ શેર કરવામાં આવેલ છે, વિડીઓના બીજા ભાગમાં નરેન્દ્ર મોદી PM બન્યા પછી કાશ્મીરની હાલત બતાવવામાં આવી રહી છે.

કાશ્મીર

ફેસબુક પર “8 વરહ માં બસ આટલું બદલાયું ભારત..જય શ્રી રામ” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ‘નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા કાશ્મીરમાં સુરક્ષાદળો પર પથ્થરમારો થતો હતો, પરંતુ છેલ્લા આઠ વર્ષમાં એટલે કે 2014માં મોદી પીએમ બન્યા બાદ બદલાવ આવ્યો અને હવે તે પથ્થરબાજો અથવા અરાજક તત્વો સામે સખત રીતે કાર્યવાહી કરવામાં આવે છે.’

આ પણ વાંચો :- કાશ્મીર ફાઈલ ફિલ્મ અને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ અન્ય ભ્રામક ખબરો જાણવા અહીંયા ક્લિક કરો

Fact Check / Verification

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે વાયરલ થયેલા વિડીઓમાં ત્રણ અલગ-અલગ સમય અને જગ્યાના વિડિઓને એક સાથે બતાવવામાં આવી રહ્યા છે. વીડિઓની શરૂઆતમાં કેટલાક પ્રદશનકારીઓ કાશ્મીરમાં ભારતીય સેનાની ગાડી પર પથ્થરમારો કરતા જોવા મળે છે. જયારે, વાયરલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ સર્ચ કરતા ન્યુઝ વેબસાઈટ AP પર સમાન જોવા મળે છે.

અહેવાલ અનુસાર, કાશ્મીરના શ્રીનગરમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન માસ્ક પહેરેલ એક કાશ્મીરી ભારતીય, પોલીસ વાહન પર કૂદકો મારીને તેના પર પથ્થરમારો કરે છે. નોંધનીય છે કે, આ તસ્વીર 31 મે, 2019 ના રોજ ન્યુઝ એજન્સી APના ફોટોગ્રાફર દાર યાસીન દ્વારા લેવામાં આવેલ છે.

યુટ્યુબ પર પણ Tameel Irshad Kashmir Age નામની ચેનલ દ્વારા મેં 2019ના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, જેમાં પ્રદશનકારીઓ સેનાની ગાડી પર હુમલો કરી રહ્યા છે.

વાયરલ વિડીઓના બીજા ભાગમાં જ્યાં, વાહનના બોનેટ પર બાંધેલા આ વ્યક્તિએ 2017માં ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ અંગે ઇન્ટરનેટ પર ઘણા મીડિયા રિપોર્ટ જોઈ શકાય છે. 9 એપ્રિલ 2017માં ભારતીય સેનાના એક અધિકારી મેજર લીતુલ ગોગોઈએ કાશ્મીરના બડગામમાં એક વ્યક્તિને જીપના બોનેટ સાથે બાંધીને પોતાનો બચાવ કરવા માનવ ઢાલ તરીકે આતંકીનો ઉપયોગ કર્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગોગોઈએ કહ્યું હતું કે તેણે પથ્થરબાજોથી બચવા માટે આ પગલું ભર્યું હતું. આ ઘટના બાદ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું .

વાયરલ વિડીઓના છેલ્લા ભાગમાં ભારતીય જવાનો દ્વારા કેટલાક લોકોને બંદી બનાવવામાં આવ્યા અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાના કિફ્રેમ્સ ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર એપ્રિલ 2017માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે મળતી માહિતી મુજબ, વીડિયોમાં એક યુવક જવાન સાથે બોલી રહ્યો છે કે તે પિમાસ પખારપોરાનો રહેવાસી છે. નોંધપાત્ર છે કે, પખારપોરા એ કાશ્મીરના બડગામમાં આવેલ એક વિસ્તારનું નામ છે.

indianexpressના એક અહેવાલ મુજબ, વર્ષ 2017માં કાશ્મીરમાં સેનાની કાર્યવાહીના ઘણા વધુ વીડિઓ સામે આવ્યા હતા. જેના કારણે ખુબ જ હંગામો થયો હતો.

ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 2021માં જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીના મામલામાં 88%નો ઘટાડો થયો છે. આ અંગે ઓગષ્ટ 2021માં ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચારમાં ગૃહ મંત્રાલયના ડેટાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 2019માં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે પથ્થરબાજીના 618 કેસ નોંધાયા હતા. 2020માં, આ કેસ ઘટીને 222 થઈ ગયા. 2021માં ફરી મોટો ઘટાડો થયો અને આ આંકડો ઘટીને 76 થયો. આ દરમિયાન સુરક્ષા દળોને ઈજા થવાના મામલામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ અંગે જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીએ કહ્યું કે મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી, કોરોના પ્રતિબંધો અને આતંકવાદી સંગઠનો અને તેમના ગ્રાઉન્ડ વર્કર્સ પર કાર્યવાહીને કારણે આ સફળતા મળી છે.

Conclusion

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કાશ્મીરમાં બદલાવ ટાઇટલ સાથે વાયરલ થયેલા વિડીઓ સાથે ભ્રામક દાવો ફેલાવવામાં આવી રહ્યો છે. વાયરલ વિડીઓમાં ત્રણ અલગ-અલગ સમય અને જગ્યાના વિડિઓને એક સાથે ખોટા સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, આ તમામ વાયરલ વિડિઓ 2014 પછી બનેલ ઘટના સમયે લેવામાં આવેલ છે.

Result :- Misleading / Partly False


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular