Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

HomeFact CheckPM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ થયેલ ભ્રામક દાવાનું સત્ય

PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ થયેલ ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન અને પિતરાઇ ભાઇઓને વડા પ્રધાનના બનવાના કારણે મોટો આર્થિક લાભ થયો છે. આ મેસેજ ટ્વિટર , ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવામાં આવ્યો છે .

વાયરલ સંદેશ પીએમ મોદીના પરિવારના સભ્યો વિશે વિવિધ દાવા કરે છે. જેમાં પહેલો આરોપ છે કે તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી ઉમર 75વર્ષ હવે “ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ” છે, જ્યારે નાના ભાઈ પંકજ મોદી “ભરતી મંડળના ઉપપ્રમુખ” છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રહલાદ મોદી અમદાવાદ અને વડોદરામાં કાર શોરૂમ ધરાવે છે. વડા પ્રધાનના પિતરાઈ અને કાકાઓની સંપત્તિ વિશે પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. જે વાયરલ દાવા કરતો મેસેજ આપણે અહીં જોઈ શકીએ છીએ.

Factcheck / Verification

નરેન્દ્ર મોદી PM બનવાના કારણે તેમના ભાઈઓની સંપત્તિ અને ધંધામાં વધારો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર ModiNama પર ઓક્ટોબર 2017ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જે મુજબ સોમાભાઈ મોદી રિટાયર્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેકટર હતા, તો અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા જેઓ હાલ અમદાવાદમાં રહે છે. પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચલાવે છે. જયારે પંકજ મોદી ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે.

તેમના પિતરાઈ ભાઈઓ જેમાં ભોગીલાલ મોદી ગ્રોસરી શોપ ચલાવે છે, તેમજ અરવિંદભાઈ મોદી એક સ્ક્રેપ ડીલર છે. ભારત ભાઈ મોદી પેટ્રોલ પંપ પર કામ કરે છે. અશોકભાઈ મોદી પતંગ અને નાસ્તાની દુકાન ચલાવે છે. આ તમામ માહિતી India Today groupના ડેપ્યુટી એડિટર તેમજ ભારત સરકારમાં ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કામ કરનાર પત્રકાર “ઉદય મહૂરકાર” દ્વારા ડિસેમ્બર 2016માં પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે.

જયારે વાયરલ દાવો કરતી ટ્વીટ Radha Charan Das દ્વારા શેર કરવામાં આવી હતી, જેના જવાબમાં ઉદય મહૂરકાર દ્વારા વાયરલ દાવો ભ્રામક હોવાની માહિતી સાથે આર્ટિકલની લિંક પર શેર કરેલ છે. તેમજ તેઓએ રાધા ચારણ દાસને ટેગ કરીને વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે.

આ ઉપરાંત આ મુદ્દે thelallantop દ્વારા ડિસેમ્બર 2017માં પબ્લિશ કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ નીચે મુજબના કામ-ધંધાઓ કરી રહ્યા છે.

ક્લેમ 1 : સોમાભાઇ મોદી (૭૫ વર્ષ) રીટાયર્ડ આરોગ્ય અધિકારી – હાલમાં ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ.

આ વડા પ્રધાનના મોટા ભાઈ 75 વર્ષના સોમભાઇ મોદી છે. તસ્વીરમાં, તે વડનગરમાં તેમના વૃદ્ધાશ્રમના લોકો સાથે છે. તેમજ તેઓ ભરતી બોર્ડના અધિકારી હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે તેઓ ગુજરાત સરકારમાં કોઈપણ કક્ષાના ભરતી બોર્ડના અધિકારી તરીકે કાર્યરત નથી.

ક્લેમ 2 : અમૃતભાઇ મોદી (૭૨ વર્ષ) અગાઉ ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં, હાલમાં અમદાવાદ અને ગાંધીનગરના રીયલ એસ્ટેટનાં સૌથી મોટા ઉદ્યોગપતિ છે.

અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં 10 હજાર પગાર પર કામ કરી રહ્યા હતા, હાલ તેઓ તેમના પુત્ર સાથે અમદાવાદમાં રહે છે. તેમજ તેઓ કોઈપણ રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલ નથી.

ક્લેમ 3 : પ્રહલાદ મોદી (૬૪ વર્ષ) ની સસ્તા અનાજ (રાશન)ની દુકાન હતી, હાલમાં હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ અમદાવાદ, વડોદરામાં છે.

પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચાલવી રહ્યા છે, તેમજ તેઓ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ વિતરણ સંગઠનના અધ્યક્ષ છે. તેઓ પાસે હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ હોવાનો દાવો ભ્રામક છે. ગુગલ સર્ચ કરતા અમદાવાદ અને વડોદરામાં આવેલ તમામ કર ડીલર્સના નામ અને સરનામાં જોવા મળે છે.

ક્લેમ 4 : પંકજ મોદી (૫૮ વર્ષ) અગાઉ માહિતી વિભાગમાં, આજે સોમાભાઈ સાથે ભરતી બોર્ડમાં ઉપાધ્યક્ષ છે.

પંકજ મોદી ગુજરાત માહિતી વિભાગમાં હાલ કાર્યરત છે, પરંતુ સોમાભાઈ ભરતી બોર્ડના અધ્યક્ષ નથી તેમજ પંકજ મોદી પણ ગુજરાત ભરતી બોર્ડમાં કામ નથી કરી રહ્યા.

ક્લેમ 5 : ભોગીલાલ મોદી (૬૭ વર્ષ), જે કરિયાણાની દુકાનનાં માલિક હતાં, આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં રિલાયન્સ મોલનાં માલિક છે.

ભોગીલાલ મોદી પીએમ મોદીના પિતરાઇ ભાઇ છે. જેઓ કરિયાણાની દુકાનનાં માલિક હતાં જયારે તેઓ રિલાયન્સ મોલના માલિક હોવાના દાવા પર સર્ચ કરતા businesstoday દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રિલાયન્સ આ પ્રકારે કોઈ ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરતી નથી, JIO વેબસાઈટના આધારે ભ્રામક રીતે ચાલી રહેલ ફ્રેન્ચાઇઝી બિઝનેસ વિશે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

ક્લેમ 6 : અરવિંદ મોદી (૬૪ વર્ષ) ભંગારના વેપારી હતા, હાલમાં રીયલ એસ્ટેટ અને મોટી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપનીઓનાં સ્ટીલનાં કોન્ટ્રાક્ટર છે.

અરવિંદ મોદી જેઓ હાલ વડનગર રહે છે, તેમજ તેઓ ભંગારના વેપારી છે. તેઓ આસપાસના ગામોમાં ભંગારની ફેરી લગાવી તેને મોટા સેન્ટર પર વેચાણ કરે છે.

ક્લેમ 7 : ભરત મોદી (૫૫ વર્ષ) પેટ્રોલ પમ્પ પર કામ કરતા હતા. આજે અમદાવાદમાં તેમનાં અગિયારસ પેટ્રોલ પમ્પ છે.

ભરત મોદી પાલનપુરના એક પેટ્રોલ પંપ પર કામ કરે છે, જેઓ 6 હજારની આવક સાથે વડનગરમાં રહે છે. તેમની પત્ની રમીલાબેન ગામમાં કરિયાણાનો સામન વેચે છે.

ક્લેમ 8 : અશોક મોદી (૫૧ વર્ષ) પાસે પતંગ અને કરિયાણાની દુકાન હતી. આજે તે રિલાયન્સમાં ભોગીલાલ મોદી સાથે ભાગીદાર છે.

અશોક મોદી વડનગરની ઘીકાંટા બજાર ખાતે પતંગ અને નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે. જે પ્રકારે આગાઉ માહિતી મળેલ છે તે મુજબ રિલાયન્સ ફ્રેન્ચાઇઝી બિઝનેસ નથી આપતી. તો તેમની ભોગીલાલ મોદી સાથે ભાગીદારી હોવાનો દાવો પણ ભ્રામક સાબિત થાય છે.

Conclusion

નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના ધંધા રોજગાર પર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. PM મોદીના ભાઈ ના તો કોઈ સરકારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે, ના તો કોઈપણ ભાઈ રિલાયન્સ મોલનો માલિક છે. તેમજ કોઈપણ ભાઈ પાસે મારુતિ, હ્યુન્ડાઇના શો-રૂમ આવેલ નથી.

Result :- False


Our Source

ModiNama
India Today group
ઉદય મહૂરકાર
businesstoday
thelallantop
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ થયેલ ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન અને પિતરાઇ ભાઇઓને વડા પ્રધાનના બનવાના કારણે મોટો આર્થિક લાભ થયો છે. આ મેસેજ ટ્વિટર , ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવામાં આવ્યો છે .

વાયરલ સંદેશ પીએમ મોદીના પરિવારના સભ્યો વિશે વિવિધ દાવા કરે છે. જેમાં પહેલો આરોપ છે કે તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી ઉમર 75વર્ષ હવે “ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ” છે, જ્યારે નાના ભાઈ પંકજ મોદી “ભરતી મંડળના ઉપપ્રમુખ” છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રહલાદ મોદી અમદાવાદ અને વડોદરામાં કાર શોરૂમ ધરાવે છે. વડા પ્રધાનના પિતરાઈ અને કાકાઓની સંપત્તિ વિશે પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. જે વાયરલ દાવા કરતો મેસેજ આપણે અહીં જોઈ શકીએ છીએ.

Factcheck / Verification

નરેન્દ્ર મોદી PM બનવાના કારણે તેમના ભાઈઓની સંપત્તિ અને ધંધામાં વધારો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર ModiNama પર ઓક્ટોબર 2017ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જે મુજબ સોમાભાઈ મોદી રિટાયર્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેકટર હતા, તો અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા જેઓ હાલ અમદાવાદમાં રહે છે. પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચલાવે છે. જયારે પંકજ મોદી ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે.

તેમના પિતરાઈ ભાઈઓ જેમાં ભોગીલાલ મોદી ગ્રોસરી શોપ ચલાવે છે, તેમજ અરવિંદભાઈ મોદી એક સ્ક્રેપ ડીલર છે. ભારત ભાઈ મોદી પેટ્રોલ પંપ પર કામ કરે છે. અશોકભાઈ મોદી પતંગ અને નાસ્તાની દુકાન ચલાવે છે. આ તમામ માહિતી India Today groupના ડેપ્યુટી એડિટર તેમજ ભારત સરકારમાં ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કામ કરનાર પત્રકાર “ઉદય મહૂરકાર” દ્વારા ડિસેમ્બર 2016માં પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે.

જયારે વાયરલ દાવો કરતી ટ્વીટ Radha Charan Das દ્વારા શેર કરવામાં આવી હતી, જેના જવાબમાં ઉદય મહૂરકાર દ્વારા વાયરલ દાવો ભ્રામક હોવાની માહિતી સાથે આર્ટિકલની લિંક પર શેર કરેલ છે. તેમજ તેઓએ રાધા ચારણ દાસને ટેગ કરીને વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે.

આ ઉપરાંત આ મુદ્દે thelallantop દ્વારા ડિસેમ્બર 2017માં પબ્લિશ કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ નીચે મુજબના કામ-ધંધાઓ કરી રહ્યા છે.

ક્લેમ 1 : સોમાભાઇ મોદી (૭૫ વર્ષ) રીટાયર્ડ આરોગ્ય અધિકારી – હાલમાં ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ.

આ વડા પ્રધાનના મોટા ભાઈ 75 વર્ષના સોમભાઇ મોદી છે. તસ્વીરમાં, તે વડનગરમાં તેમના વૃદ્ધાશ્રમના લોકો સાથે છે. તેમજ તેઓ ભરતી બોર્ડના અધિકારી હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે તેઓ ગુજરાત સરકારમાં કોઈપણ કક્ષાના ભરતી બોર્ડના અધિકારી તરીકે કાર્યરત નથી.

ક્લેમ 2 : અમૃતભાઇ મોદી (૭૨ વર્ષ) અગાઉ ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં, હાલમાં અમદાવાદ અને ગાંધીનગરના રીયલ એસ્ટેટનાં સૌથી મોટા ઉદ્યોગપતિ છે.

અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં 10 હજાર પગાર પર કામ કરી રહ્યા હતા, હાલ તેઓ તેમના પુત્ર સાથે અમદાવાદમાં રહે છે. તેમજ તેઓ કોઈપણ રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલ નથી.

ક્લેમ 3 : પ્રહલાદ મોદી (૬૪ વર્ષ) ની સસ્તા અનાજ (રાશન)ની દુકાન હતી, હાલમાં હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ અમદાવાદ, વડોદરામાં છે.

પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચાલવી રહ્યા છે, તેમજ તેઓ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ વિતરણ સંગઠનના અધ્યક્ષ છે. તેઓ પાસે હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ હોવાનો દાવો ભ્રામક છે. ગુગલ સર્ચ કરતા અમદાવાદ અને વડોદરામાં આવેલ તમામ કર ડીલર્સના નામ અને સરનામાં જોવા મળે છે.

ક્લેમ 4 : પંકજ મોદી (૫૮ વર્ષ) અગાઉ માહિતી વિભાગમાં, આજે સોમાભાઈ સાથે ભરતી બોર્ડમાં ઉપાધ્યક્ષ છે.

પંકજ મોદી ગુજરાત માહિતી વિભાગમાં હાલ કાર્યરત છે, પરંતુ સોમાભાઈ ભરતી બોર્ડના અધ્યક્ષ નથી તેમજ પંકજ મોદી પણ ગુજરાત ભરતી બોર્ડમાં કામ નથી કરી રહ્યા.

ક્લેમ 5 : ભોગીલાલ મોદી (૬૭ વર્ષ), જે કરિયાણાની દુકાનનાં માલિક હતાં, આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં રિલાયન્સ મોલનાં માલિક છે.

ભોગીલાલ મોદી પીએમ મોદીના પિતરાઇ ભાઇ છે. જેઓ કરિયાણાની દુકાનનાં માલિક હતાં જયારે તેઓ રિલાયન્સ મોલના માલિક હોવાના દાવા પર સર્ચ કરતા businesstoday દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રિલાયન્સ આ પ્રકારે કોઈ ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરતી નથી, JIO વેબસાઈટના આધારે ભ્રામક રીતે ચાલી રહેલ ફ્રેન્ચાઇઝી બિઝનેસ વિશે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

ક્લેમ 6 : અરવિંદ મોદી (૬૪ વર્ષ) ભંગારના વેપારી હતા, હાલમાં રીયલ એસ્ટેટ અને મોટી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપનીઓનાં સ્ટીલનાં કોન્ટ્રાક્ટર છે.

અરવિંદ મોદી જેઓ હાલ વડનગર રહે છે, તેમજ તેઓ ભંગારના વેપારી છે. તેઓ આસપાસના ગામોમાં ભંગારની ફેરી લગાવી તેને મોટા સેન્ટર પર વેચાણ કરે છે.

ક્લેમ 7 : ભરત મોદી (૫૫ વર્ષ) પેટ્રોલ પમ્પ પર કામ કરતા હતા. આજે અમદાવાદમાં તેમનાં અગિયારસ પેટ્રોલ પમ્પ છે.

ભરત મોદી પાલનપુરના એક પેટ્રોલ પંપ પર કામ કરે છે, જેઓ 6 હજારની આવક સાથે વડનગરમાં રહે છે. તેમની પત્ની રમીલાબેન ગામમાં કરિયાણાનો સામન વેચે છે.

ક્લેમ 8 : અશોક મોદી (૫૧ વર્ષ) પાસે પતંગ અને કરિયાણાની દુકાન હતી. આજે તે રિલાયન્સમાં ભોગીલાલ મોદી સાથે ભાગીદાર છે.

અશોક મોદી વડનગરની ઘીકાંટા બજાર ખાતે પતંગ અને નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે. જે પ્રકારે આગાઉ માહિતી મળેલ છે તે મુજબ રિલાયન્સ ફ્રેન્ચાઇઝી બિઝનેસ નથી આપતી. તો તેમની ભોગીલાલ મોદી સાથે ભાગીદારી હોવાનો દાવો પણ ભ્રામક સાબિત થાય છે.

Conclusion

નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના ધંધા રોજગાર પર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. PM મોદીના ભાઈ ના તો કોઈ સરકારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે, ના તો કોઈપણ ભાઈ રિલાયન્સ મોલનો માલિક છે. તેમજ કોઈપણ ભાઈ પાસે મારુતિ, હ્યુન્ડાઇના શો-રૂમ આવેલ નથી.

Result :- False


Our Source

ModiNama
India Today group
ઉદય મહૂરકાર
businesstoday
thelallantop
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

PM મોદીના ભાઈ અને તેમની સંપત્તિ-ધંધા પર વાયરલ થયેલ ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ-બહેન અને પિતરાઇ ભાઇઓને વડા પ્રધાનના બનવાના કારણે મોટો આર્થિક લાભ થયો છે. આ મેસેજ ટ્વિટર , ફેસબુક અને વોટ્સએપ પર શેર કરવામાં આવ્યો છે .

વાયરલ સંદેશ પીએમ મોદીના પરિવારના સભ્યો વિશે વિવિધ દાવા કરે છે. જેમાં પહેલો આરોપ છે કે તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી ઉમર 75વર્ષ હવે “ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ” છે, જ્યારે નાના ભાઈ પંકજ મોદી “ભરતી મંડળના ઉપપ્રમુખ” છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રહલાદ મોદી અમદાવાદ અને વડોદરામાં કાર શોરૂમ ધરાવે છે. વડા પ્રધાનના પિતરાઈ અને કાકાઓની સંપત્તિ વિશે પણ ઘણા દાવા કરવામાં આવ્યા છે. જે વાયરલ દાવા કરતો મેસેજ આપણે અહીં જોઈ શકીએ છીએ.

Factcheck / Verification

નરેન્દ્ર મોદી PM બનવાના કારણે તેમના ભાઈઓની સંપત્તિ અને ધંધામાં વધારો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ મેસેજ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર ModiNama પર ઓક્ટોબર 2017ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જે મુજબ સોમાભાઈ મોદી રિટાયર્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેકટર હતા, તો અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા જેઓ હાલ અમદાવાદમાં રહે છે. પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચલાવે છે. જયારે પંકજ મોદી ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છે.

તેમના પિતરાઈ ભાઈઓ જેમાં ભોગીલાલ મોદી ગ્રોસરી શોપ ચલાવે છે, તેમજ અરવિંદભાઈ મોદી એક સ્ક્રેપ ડીલર છે. ભારત ભાઈ મોદી પેટ્રોલ પંપ પર કામ કરે છે. અશોકભાઈ મોદી પતંગ અને નાસ્તાની દુકાન ચલાવે છે. આ તમામ માહિતી India Today groupના ડેપ્યુટી એડિટર તેમજ ભારત સરકારમાં ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કામ કરનાર પત્રકાર “ઉદય મહૂરકાર” દ્વારા ડિસેમ્બર 2016માં પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે.

જયારે વાયરલ દાવો કરતી ટ્વીટ Radha Charan Das દ્વારા શેર કરવામાં આવી હતી, જેના જવાબમાં ઉદય મહૂરકાર દ્વારા વાયરલ દાવો ભ્રામક હોવાની માહિતી સાથે આર્ટિકલની લિંક પર શેર કરેલ છે. તેમજ તેઓએ રાધા ચારણ દાસને ટેગ કરીને વાયરલ દાવાઓ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે.

આ ઉપરાંત આ મુદ્દે thelallantop દ્વારા ડિસેમ્બર 2017માં પબ્લિશ કરવામાં આવેલ રિસર્ચ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ નીચે મુજબના કામ-ધંધાઓ કરી રહ્યા છે.

ક્લેમ 1 : સોમાભાઇ મોદી (૭૫ વર્ષ) રીટાયર્ડ આરોગ્ય અધિકારી – હાલમાં ગુજરાતમાં ભરતી બોર્ડના અધ્યક્ષ.

આ વડા પ્રધાનના મોટા ભાઈ 75 વર્ષના સોમભાઇ મોદી છે. તસ્વીરમાં, તે વડનગરમાં તેમના વૃદ્ધાશ્રમના લોકો સાથે છે. તેમજ તેઓ ભરતી બોર્ડના અધિકારી હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે તેઓ ગુજરાત સરકારમાં કોઈપણ કક્ષાના ભરતી બોર્ડના અધિકારી તરીકે કાર્યરત નથી.

ક્લેમ 2 : અમૃતભાઇ મોદી (૭૨ વર્ષ) અગાઉ ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતાં હતાં, હાલમાં અમદાવાદ અને ગાંધીનગરના રીયલ એસ્ટેટનાં સૌથી મોટા ઉદ્યોગપતિ છે.

અમૃતભાઈ મોદી 2005 સુધી એક ખાનગી કંપનીમાં 10 હજાર પગાર પર કામ કરી રહ્યા હતા, હાલ તેઓ તેમના પુત્ર સાથે અમદાવાદમાં રહે છે. તેમજ તેઓ કોઈપણ રીયલ એસ્ટેટના ધંધા સાથે જોડાયેલ નથી.

ક્લેમ 3 : પ્રહલાદ મોદી (૬૪ વર્ષ) ની સસ્તા અનાજ (રાશન)ની દુકાન હતી, હાલમાં હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ અમદાવાદ, વડોદરામાં છે.

પ્રહલાદ મોદી એક સસ્તા અનાજની દુકાન ચાલવી રહ્યા છે, તેમજ તેઓ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ વિતરણ સંગઠનના અધ્યક્ષ છે. તેઓ પાસે હુન્ડાઇ, મારુતિ અને હોન્ડા ફોર વ્હીલરનાં શો રૂમ હોવાનો દાવો ભ્રામક છે. ગુગલ સર્ચ કરતા અમદાવાદ અને વડોદરામાં આવેલ તમામ કર ડીલર્સના નામ અને સરનામાં જોવા મળે છે.

ક્લેમ 4 : પંકજ મોદી (૫૮ વર્ષ) અગાઉ માહિતી વિભાગમાં, આજે સોમાભાઈ સાથે ભરતી બોર્ડમાં ઉપાધ્યક્ષ છે.

પંકજ મોદી ગુજરાત માહિતી વિભાગમાં હાલ કાર્યરત છે, પરંતુ સોમાભાઈ ભરતી બોર્ડના અધ્યક્ષ નથી તેમજ પંકજ મોદી પણ ગુજરાત ભરતી બોર્ડમાં કામ નથી કરી રહ્યા.

ક્લેમ 5 : ભોગીલાલ મોદી (૬૭ વર્ષ), જે કરિયાણાની દુકાનનાં માલિક હતાં, આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં રિલાયન્સ મોલનાં માલિક છે.

ભોગીલાલ મોદી પીએમ મોદીના પિતરાઇ ભાઇ છે. જેઓ કરિયાણાની દુકાનનાં માલિક હતાં જયારે તેઓ રિલાયન્સ મોલના માલિક હોવાના દાવા પર સર્ચ કરતા businesstoday દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ રિલાયન્સ આ પ્રકારે કોઈ ફ્રેન્ચાઇઝી બિઝનેસ કરતી નથી, JIO વેબસાઈટના આધારે ભ્રામક રીતે ચાલી રહેલ ફ્રેન્ચાઇઝી બિઝનેસ વિશે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

ક્લેમ 6 : અરવિંદ મોદી (૬૪ વર્ષ) ભંગારના વેપારી હતા, હાલમાં રીયલ એસ્ટેટ અને મોટી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપનીઓનાં સ્ટીલનાં કોન્ટ્રાક્ટર છે.

અરવિંદ મોદી જેઓ હાલ વડનગર રહે છે, તેમજ તેઓ ભંગારના વેપારી છે. તેઓ આસપાસના ગામોમાં ભંગારની ફેરી લગાવી તેને મોટા સેન્ટર પર વેચાણ કરે છે.

ક્લેમ 7 : ભરત મોદી (૫૫ વર્ષ) પેટ્રોલ પમ્પ પર કામ કરતા હતા. આજે અમદાવાદમાં તેમનાં અગિયારસ પેટ્રોલ પમ્પ છે.

ભરત મોદી પાલનપુરના એક પેટ્રોલ પંપ પર કામ કરે છે, જેઓ 6 હજારની આવક સાથે વડનગરમાં રહે છે. તેમની પત્ની રમીલાબેન ગામમાં કરિયાણાનો સામન વેચે છે.

ક્લેમ 8 : અશોક મોદી (૫૧ વર્ષ) પાસે પતંગ અને કરિયાણાની દુકાન હતી. આજે તે રિલાયન્સમાં ભોગીલાલ મોદી સાથે ભાગીદાર છે.

અશોક મોદી વડનગરની ઘીકાંટા બજાર ખાતે પતંગ અને નાસ્તાની દુકાન ચલાવી રહ્યા છે. જે પ્રકારે આગાઉ માહિતી મળેલ છે તે મુજબ રિલાયન્સ ફ્રેન્ચાઇઝી બિઝનેસ નથી આપતી. તો તેમની ભોગીલાલ મોદી સાથે ભાગીદારી હોવાનો દાવો પણ ભ્રામક સાબિત થાય છે.

Conclusion

નરેન્દ્ર મોદીના ભાઈ અને તેમના ધંધા રોજગાર પર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. PM મોદીના ભાઈ ના તો કોઈ સરકારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે, ના તો કોઈપણ ભાઈ રિલાયન્સ મોલનો માલિક છે. તેમજ કોઈપણ ભાઈ પાસે મારુતિ, હ્યુન્ડાઇના શો-રૂમ આવેલ નથી.

Result :- False


Our Source

ModiNama
India Today group
ઉદય મહૂરકાર
businesstoday
thelallantop
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular