Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ટાંકીને એક ચોંકાવનારો પત્ર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પત્ર અનુસાર આરએસએસના વડા મોહન ભાગવતે હિંદુ યુવકોને અપીલ કરી છે કે તેઓ મુસ્લિમ યુવતીઓને પોતાના પ્રેમમાં ફસાવે, તેમની સાથે શારીરિક સંબંધ બાંધે અને તેમના લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવે. પત્રમાં 12 અલગ-અલગ પોઈન્ટ્સની મદદથી મુસ્લિમ યુવતીને ફસાવવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. પત્રમાં હિન્દુ છોકરાઓને આર્થિક મદદ કરવાની પણ વાત કરવામાં આવી છે.
પત્રના અંતમાં અખિલ ભારતીય હિન્દુ સમાજ, બજરંગ દળ જેવા હિન્દુ સંગઠનોના નામ પણ લખવામાં આવ્યા છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આરએસએસે જાહેરમાં આવું કરવાની અપીલ કરી છે.
સૌ પ્રથમ આપણે આ પત્ર ધ્યાનથી વાંચીએ તો તેમાં ઘણી વ્યાકરણ ભૂલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ‘બજરંગ દળ’ને ‘બજરંગ દિલ’ લખવામાં આવે છે, ‘તલાશ’ શબ્દને ‘તલશેન’ લખવામાં આવે છે. ઉપરાંત, જુદા જુદા કીવર્ડ્સની મદદથી આ પત્ર અંગે સર્ચ કરતા અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી જેમાં આરએસએસેના પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. RSSના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ આવો કોઈ પત્ર ઉપલબ્ધ નથી.
આ વાયરલ પત્ર અંગે VSK ભારત નામના ટ્વિટર હેન્ડલ પરથી 10 એપ્રિલ 2023ની તારીખની ટ્વીટ જોવા મળે છે. VSK ભારત એ RSSના મીડિયા કાર્યને સંભાળતી સંસ્થા છે. સંસ્થાના ટ્વિટર હેન્ડલે આ પત્રને નકલી ગણાવ્યો છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકરે પણ ટ્વીટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતો આ પત્ર ખોટો છે.
આ સિવાય અમે આરએસએસના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા સત્તાવાર પત્રની વાયરલ પત્ર સાથે સરખામણી કરી છે. RSS પોતાનો સંદેશ પહોંચાડવા માટે આ લેટર હેડનો ઉપયોગ કરે છે. અમને જાણવા મળ્યું કે વાયરલ પત્રમાં RSSનો લોગો અલગ છે. સત્તાવાર પત્રના લોગો પર ‘સંઘે શક્તિઃ કલયુગે’ લખેલું છે જે વાયરલ પત્રમાં નથી.
અમે આ પત્રની સત્યતા અંગે કેટલાક વરિષ્ઠ પત્રકારો સાથે પણ વાત કરી હતી. મુંબઈના વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈ સાથે વાત કરતા તેઓએ કહ્યું કે “તેમને નથી લાગતું કે આરએસએસ આ રીતે આવી સીધી અપીલ કરશે. તેમણે કહ્યું કે તેઓ આરઆરએસની વિચારધારા સાથે સહમત નથી, પરંતુ એવું લાગતું નથી કે સંગઠન સીધો આ પ્રકારનો પત્ર જારી કરશે. દેસાઈએ એમ પણ કહ્યું કે આવા પત્રો સમાજને ભડકાવી શકે છે, તેથી સરકારે આવી બાબતોને વધતી અટકાવવી જોઈએ.”
આ પત્ર પર આરએસએસનું કવરેજ કરી રહેલા પત્રકાર પ્રકાશ બાલગોજીએ પણ અમને જણાવ્યું કે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવ્યું હતું. પત્રમાં હાજર વ્યાકરણની ભૂલો, અલગ-અલગ લોગો, લખવાની રીત વગેરે જોઈને તે એમ પણ માને છે કે આ પત્ર RSS દ્વારા જારી કરવામાં આવ્યો નથી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ટાંકીને વાયરલ થઈ રહેલ પત્ર તદ્દન ભ્રામક છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર વડા સુનીલ આંબેકરે ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર ફરતો પત્ર ખોટો હોવાની જાણ કરવામાં આવેલ છે.
Our Source
Tweets of VSK Bharat and Sunil Ambekar
Self Analysis
Quotes of journalists Hemant Desai and Prakash Balgoji
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel Madhusoodan
August 2, 2024
Prathmesh Khunt
February 24, 2021
Prathmesh Khunt
March 8, 2021