Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : ઠંડા પીણામાં ઈબોલા વાયરસનું દૂષિત લોહી ભેળવવામાં આવ્યું છે, તો બીજી તરફ પર્વતારોહક બલજીત કૌરનું નિધન થયું હોવાની ભ્રામક અફવા. રાજકિય ક્ષેત્રે કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કર્યો તો બીજી બાજુ કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની છત માંથી પાણી ટપકવા લાગ્યું હોવાના ભ્રામક દાવાઓ પર TOP 5 ફેક્ટ ચેક
દાવો કરવામાં આવ્યો છે કે “હૈદરાબાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગામી કેટલાક દિવસો સુધી 7U, ફેન્ટા, કોકાકોલા પેપ્સી જેવા ઠંડા પીણા ન પીશો, કારણ કે કંપનીના એક કામદારે ઇબોલા વાયરસનું દૂષિત લોહી તેમાં ભેળવ્યું છે.” આ ઉપરાંત, હૈદરાબાદ પોલીસે આ દાવો NDTV ન્યુઝના રિપોર્ટના આધારે કર્યો હોવાનું જણાવ્યું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
સોશિયલ મીડિયા પર પર્વતારોહક બલજીત કૌરની તસ્વીર શેર કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. બલજીત કૌરના કથિત મૃત્યુ પર ફેસબુક અને ટ્વિટર પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
દિલ્હીની સાકેત કોર્ટમાં 21 એપ્રિલના એક વકીલે એક મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. આ ક્રમમાં ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે, કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાને ગોળી મારી હત્યાં કરી”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પૂરજોષમાં તૈયારીઓ ચાલી રહી છે. દરેક પાર્ટી જમીન થી સોશ્યલ મીડિયા સુધી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી રહ્યા. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટકમાં બીજેપી પ્રચારના વાહન પર લોકોએ પથ્થર મારો કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
આ અઠવાડિયાની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમમાં કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, ઘટનાના થોડા સમય પછી, છત પરથી પાણીના લીકેજથી પોતાને બચાવવા માટે છત્રી પકડીને ટ્રેન ચલાવતા ડ્રાઇવરની એક તસ્વીર વાયરલ થઈ હતી. દાવો કર્યો છે કે કેરળમાં નવી શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની સ્થિતિ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
November 25, 2023
Prathmesh Khunt
November 11, 2023
Prathmesh Khunt
October 28, 2023