Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં 500રૂ ની ખોટી નોટની ભ્રામક તસ્વીર વાયરલ થઇ બીજી તરફ નેધરલેન્ડની સ્કૂલોમાં ભગવત ગીતા ભણાવવા માટે ફરજીયાત નિયમ જાહેર કરાયો હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ અને હાલમાં હિઝબુલના ટોપ કમાન્ડરના એન્કાઉન્ટર બાદ ન્યુઝ સંસ્થાનો દ્વારા શેર કરવામાં આવેલ ભ્રામક તસ્વીર પર TOP 5 ફેક્ટ ચેક

500 રૂપિયા ની ખોટી નોટ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. ગવર્નરની સહી લીલી પટ્ટીની નજીક હોય કે ગાંધીજી ની તસ્વીર નજીક હોય બન્ને નોટ RBI દ્વારા માન્ય ગણાશે. 500ની ખોટી નોટ અંગે બે વર્ષ અગાઉ પણ આ ભ્રામક દાવા પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

નેધરલેન્ડમાં પાંચમા ધોરણથી તમામ બાળકો ને ભગવત ગીતા ભણવવા માટે સરકારે નિયમ જાહેર કર્યો હોવાની ભ્રામક અફવા વાયરલ. નેધરલેન્ડમાં સ્કૂલો દ્વારા કોઈપણ ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. આ મુદ્દે Government of Netherlands વેબસાઈટ પર પણ સ્કૂલોમાં ભણવવામાં આવતા તમામ વિષયો અંગે માહિતી આપવામાં આવેલ છે.

આઝાદીના 74 વર્ષ બાદ મણિપુરમાં ટ્રેન પહોંચી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ. મણિપુર અને બીજા નોર્થઇસ્ટ રાજ્યોમાં 1899 થી મીટર ગેજ રેલ્વે લાઇનો આવેલ છે. હાલમાં સિલચર થી વૈંગૈચુંપાઓ વચ્ચે બ્રોડગેજ તૈયાર કરવામાં આવ્યો હોવાથી ત્યાં પ્રથમ પેસેન્જર ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે મણિપુર CM બીરેન સિંઘ અને યુનિયન મિનિસ્ટર ડો.જીતેન્દ્ર સિંઘ દ્વારા પણ ટ્વીટર પર આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.

લોકડાઉન ખુલ્યા બાદ મનાલી મોલ રોડ પર ખુબજ મોટા પ્રમાણમાં લોકોની ભીડ હોવાના દાવા સાથે જૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાન અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક તસ્વીર હાલના સંદર્ભમાં શેર કરેલ છે. જો..કે હાલ મનાલી અને હિમાચલ ખાતે પ્રવાસીઓ ખુબ જ આવી રહ્યા છે. વાયરલ તસ્વીર કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફર દ્વારા આ તસ્વીર અંગે સ્પષ્ટતા આપતી ફેસબુક પોસ્ટ કરવામાં આવેલ છે.

વાયરલ તસ્વીર અંગે કરવામાં આવતા દાવા ખોટા છે. વાયરલ થયેલી તસ્વીર મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની નથી. વાયરલ તસ્વીર સીરિયન આતંકી ઓમર હુસેન છે, જેને ભારતમાં થયેલા આતંકી હમણાં સાથે કોઈ લેવાદેવા નથી. જોકે, કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકી મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની કોઈ તસવીર મીડિયામાં હાજર નથી.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 18, 2025
Dipalkumar Shah
July 14, 2025