Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap : યુવાનોએ નગ્ન હાલતમાં જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનનો વિરોધ કર્યો બીજી તરફ પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. ત્યારે રામનવમીના દિવસે દેશના અનેક ભાગોમાં થયેલ કોમી હિંસા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ઘટનાને વખોળતી અનેક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં કેટલાક યુવાનો અર્ધ નગ્ન અવસ્થામાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ફેસબુક પર “ગજબ નું વિરોધ પ્રદર્શન…હો..સરકારી અધિકારી પણ ખુરશી છોડી ને ભાગી ગયા” ટાઇટલ સાથે વાયરલ થયેલ તસ્વીર પર “જીતુ વાઘાણી માફી માંગે” લખાણ લખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે વાયરલ પોસ્ટ સોશ્યલ મીડિયા પર આપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર ભાજપ કાર્યકરો દ્વારા જીતુ વાઘાણીનું સમર્થન કરતા “મારી શાળા, મારુ ગૌરવ” ટાઇટલ સાથે અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર છેડાયેલ આ યુદ્ધમાં કેટલાક યુઝર્સ દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલની હાલત દર્શાવતી અનેક પોસ્ટ શેર કરી રહ્યા છે, આ ક્રમમાં ફેસબુક પર “દિલ્લીની વલ્ડ ક્લાસ મેડિકલ સુવધાની વરવી વાસ્તવિકતા” ટાઇટલ સાથે એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે.
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોવાના નિવેદનો સાથે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ ક્રમમાં આપ કાર્યકર્તાઓ તેમજ અન્ય યુઝર્સ દ્વારા ફેસબુક પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, “ક” કમળનો “ક”તો બરાબર ઘૂંટ્યો પણ “ક્ષ શિક્ષણનો “ક્ષ”એવું કોઈએ ભણાવ્યું નહિ !, પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.“
રામનવમીના દિવસે થયેલા કોમી રમખાણોના સંદર્ભમાં ફેસબુક પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે છત્તીસગઢમાં હિન્દુ સંગઠનોના લોકો એક મસ્જિદમાં ઘૂસી ગયા અને જય શ્રી રામના નારા લગાવીને હંગામો મચાવ્યો. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ ટ્વીટર પર AIMIM પાર્ટીના નેતા અકબરૂદ્દીન ઓવૈસી તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
November 25, 2023
Prathmesh Khunt
November 11, 2023
Prathmesh Khunt
October 28, 2023