Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ–મહેસાણા હાઈવેનો Toll Tax વધ્યો , Ajay Devganને પણ લોકોએ માર માર્યો , ગુજરાત સરકાર Vaccine લેનાર વ્યક્તિને 1000 રૂપિયા આપી રહી છે. અને ગુજરાતમાં સંપૂર્ણં Lockdown લાગુ થયા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક
અમદાવાદ – મહેસાણા ટોલ ટેક્સ અંગે વાયરલ સમાચાર તેમજ લેટર એક ભ્રામક અફવા છે. આ મુદ્દે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી Ashutosh Mistry દ્વારા ફેસબુક પોસ્ટ કરતા સ્પષ્ટતા આપવામાં આવેલ છે. તેમજ જાહેર કરવામાં આવેલ નોટિફિકેશમાં પણ ટોલ ટેક્સના ભાવ અંગે નોંધ આપવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાન તેમજ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન ને ભ્રામક અફવા સાથે શેર કરવામાં આવેલ છે.
અજય દેવગણને એરપોર્ટ પર માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક છે. વાયરલ વીડિયોમાં અજય દેવગણ નથી, જે અંગે તેમણે ટ્વીટર મારફતે સ્પષ્ટતા આપેલ છે. વાયરલ વિડિઓ દિલ્હી એરોસિટી ખાતે બે વ્યક્તિ વચ્ચે પાર્કિંગ મુદ્દે થયેલ બોલાચાલી અને મારામારી છે. જયારે આ ઘટના બાદ આ બન્ને વ્યક્તિની લોકલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. ગુજરાત સરકાર દ્વારા રસી લેનાર વ્યક્તિને 1000 રૂપિયા મળવાની વાત એક અફવા હોવાની સ્પષ્ટતા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. CM વિજય રૂપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.
ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ સમાચાર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. રાજકોટ મિરર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી વેપારી એસો. દ્વારા રાજકોટ શહેરમાં લોકડાઉન જાહેર કરાયું હોવાની ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Corona વાયરસના વધતા કેસ જોતા રાજ્ય સરકાર દ્વારા માત્ર નાઈટ કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે, ફરી એક વખત લોકડાઉન લાગુ થવાનું હોવાના વાયરલ મેસેજ તેમજ ન્યુઝ રિપોર્ટ તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે સ્થિતિ ચોક્કસ ગંભીર છે પરંતુ આપણે તેમની સામે બરાબર લડત આપી કાબૂમાં લઈ લેશું. પરંતુ Lockdown કે કર્ફ્યુનો હાલ કોઈ જ વિચાર નથી વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 18, 2025
Dipalkumar Shah
March 17, 2025